શાળાની ધોરણ ૨ ની બાળાને શાળાના મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. તે બાળાએ એ પૈસા પોતાની પાસે રાખી ના લેતા ધોરણ ૫ માં ભણતી પ્રિયંકાને જાણ કરી અને પ્રિયંકા તેને લઇ મારી પાસે આવી. સર પુરમને મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. બંને બાળાઓએ તો પ્રમાણિકતા દાખવી જ દાખવી પણ પછી મેં બધાને કહ્યું કે કોના પૈસા પડી ગયા તો બધા જ બાળકો પ્રમાણીકતાથી બોલ્યા અમારામાંથી કોઈના નથી. આને જ કહેવાય મૂલ્યલક્ષી શિક્ષણ . સંજોગવસાત તે દિવસે એસ.એમ. સી. મીટીંગ હોય સૌ સભ્યોએ પણ બાળાને બિરદાવી અને એસ.એમ. સી. અધ્યક્ષાએ તેને શાબાશી આપી .
No comments:
Post a Comment