Monday, July 22, 2013
ગુરુ પૂર્ણિમા
Add caption |
યુગોની પરંપરા છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. ગુરુ ધારે તો શિષ્યને રાજા બનાવે અને ધારે તો ભિખારી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચાણક્ય. ખરે ખર ગુરુ પૂર્ણિમાં ભગવાન વેદ વ્યાસજીના જન્મ દિન છે. આ રસપ્રદ વાત સૌએ જાણવા જેવી છે.
અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ લીધા. ગુરુ વંદનાનું મહિમા શ્લોક દ્વારા કર્યું, ત્યારબાદ ગુરુ મહિમા વિષે પોતાના વિચારો રજુ કર્યા.
Wednesday, July 10, 2013
Tuesday, July 9, 2013
મેવલિયો
ધોરણ-૫ માં મેવલિયો કાવ્યમાં મેઘને મનાવવા નીકળેલી બાળાઓ સાથે વર્ષાગીતનો તાલ આપતા બાળકો. આજના આ શહેરી કારણના યુગમાં બાળકો આપણા લોકરિવાજોથી દુર થતા જાય છે ત્યારે બાળકોને મેઘના દેવ ઇન્દ્રને મનાવવા ગામડાની ભોળી બાળ કેવાકેવા પ્રયત્ન કરે છે તેની ઝાખી કરાવવા શાળામાં ધુન્ધીયા બાપજીની પ્રતિકૃતિ બનાવી તેને પીળી કરેણનો હાર પહેરાવી પોતાના માથા ઉપર એમને લઇ વરસાદને મનાવવા નીકળે છે . આ રીતે બાળકોનેઆ લોકગીતના ભાવ જગતથી વાકેફ કર્યા.
શાળા પ્રવેશોત્સવ
આમ તો પહેલા પણ બાળકો શાળામાં પ્રવેશતા જ હતા. શાળામાં બાળકોનું આગમન સ્વાભાવિક હતું. આજે પણ છે. પણ આજે બાળકોનું આગમન શાળા અને વાલીઓ માટે એક અદકેરો ઉત્સવ બની રહ્યો છે. નાના નાના પગલા માંડી બાળક જયારે શાળામાં આવે છે ત્યારે શાળામાં જાણે વસંત ખીલી ઉઠી હોય એવું લાગે છે.આગળના ધોરણમાં ભણતા બાળકો જાણે આવનાર કોઈ સ્વજન ના હોય એમ એની સેવા સરભરામાં લાગી જાય છે ત્યારે સાચા અર્થમાં આ એક ઉત્સવ બની જાય છે. અહી આપ નિહાળશો શાળાના પ્રવેશોત્સવ રથમાં આવી રહેલ અમારા નવા નવેલા વિદ્યાર્થીઓ.
Subscribe to:
Posts (Atom)