પાણી શબ્દ બોલાતા જ જાણે આખા શરીરમાં ઠંડક વ્યાપી જાય છે. "પાણી એ ધરતી પરનું અમૃત પીણું છે. જે નાના મોટા સૌને ભાવે છે." તેથી જ તેનો ખપ પુરતો જ ઉપયોગ કરવો જોઈએ. અને પાણી બચાવવું જોઈએ. આ સત્ય સમજાવવાના પ્રયત્ન રૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી પ્રસંગે પ્રભુનગર પ્રાથમિક શાળામાં SMC ના મહિલા સભ્યો,અધ્યક્ષ અને મહિલા વાલીઓનું સન્માન કરવામાં આવ્યું તથા સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી યુવા વર્ષનિમિત્તે બહેનોને સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગોને લગતા પુસ્તકોની ભેટ આપવામાં આવી.