બાળકોએ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને ફૂલ તથા સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. આચાર્ય શ્રીએ ગુરુ વાણીમાં બાળકોને ગાંધીજીના જીવન પ્રસંગો કહી એમાંથી પ્રેરણા મેળવવા કહ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા રાષ્ટ્રપિતા વિષે જાણે તથા આપણે પણ આપણું જીવન એમણે આપેલા આદર્શો પર ચલાવીએ તેવું બનાવીએ. કહેવાય છેકે કુમળો છોડ વાળીએ તેમ વળે તેથી જ આ ઉમરે શીખેલી વાત બાળકો જીવનભર યાદ રાખે છે. તેથી એમના જીવનને આદર્શ માર્ગે વાળવાનો આ શ્રેષ્ઠ સમયગાળો છે.
No comments:
Post a Comment