જ્ઞાન સપ્તાહના છેલ્લા દિવસે શાળામાં નિવૃત ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું તથા ગુરુજનોની આરતી ઉતારવામાં આવી. ગુરુજનોના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા. વાલીઓના પ્રતિભાવો મેળવ્યા. એક વળી માતા પોતાની પુત્રીની પ્રગતિ જોઈ ભાવવિભોર બની ગયા. સાથે સમગ્ર વાતાવરણ શિક્ષકની મહતા સમજાવી ગયું. જ્ઞાન સપ્તાહ દરમ્યાન થયેલ વિવિધ સ્પર્ધોના ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓનો આટલો બધો સહકાર જોઈ ગુરુજનો આશ્ચર્ય પામ્યા.
No comments:
Post a Comment