આજથી નવ વર્ષ પહેલા લીધેલ એક નાનકડો સંકલ્પ મનને આટલું પ્રફુલ્લિતકરશે એવું ક્યારેય નહોતું ધાર્યું.નવ વર્ષ પહેલા અમે દંપતીએ મારી માતાની પુણ્યતિથિએ એવો સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે આ દિવસે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને ભોજન કરાવવું ત્યારથી અમે આ સંકલ્પને વળગી બે શાળાના બાળકોને તિથી ભોજન કરાવીએ છીએ. આ વર્ષે પણ પ્રભુનગર તથા રાજીવ નગરના બાળકોને તિથી ભોજન આપ્યું.
No comments:
Post a Comment